આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉપદેશ

.

ઉપદેશની અસર

૧૦ બુદ્ધનો ઉપદેશ સાંભળનાર ઉપર તત્કાળ અસર કરતો. જેમ ઢાંકેલી વસ્તુને કોઇ ઉઘાડીને બતાવે, અથવા અંધારામાં જેમ દીવો વસ્તુઓને પ્રકાશિત કરે, તેમ બુદ્ધના ઉપદેશથી શ્રોતાઓને સત્યનો પ્રકાશ થતો. લૂંટારા જેવા પણ એમના ઉપદેશથી સુધરી જતા. અનેક જનોને એમનાં વચનોથી વૈરાગ્યનાં બાણ વાગતાં, અને તેઓ સુખસંપત્તિ છોડી એમના ભિક્ષુસંઘમાં દાખલ થ‌ઇ જતા.


ધૈર્ય, બીક, ક્રોધ વગેરે લાગણીઓને ઉદ્‌ભવતાં કે ઉદ્‌ભવ્યા પછી ઓળખી એની ઉત્પત્તિ કેમ થાય છે, એ કેમ શમે છે, એની પાછળ ક‌ઇ વાસનાઓ વગેરે રહ્યાં છે તેનું પૃથક્કરણ. આને ધર્મપ્રવિચય પણ કહે છે.(૩) વીર્ય એટલે સત્કર્મો કરવાનો ઉત્સાહ.(૪) પ્રીતિ એટલે સત્કર્મો કરવાથી થતો આનંદ.(૫) પ્રશ્નબ્ધિ એટલે ચિત્તની શાંતતા, પ્રસન્નતા.(૬) સમાધિ એટલે ચિત્તની એકાગ્રતા. (૭) ઉપેક્ષા એટલે ચિત્તની મધ્યમાવસ્થા, વિકારો ઉપર કાબુ, વેગના ઝપાટામાં ન આવવું તે. હર્ષ પણ રોકી શકાય નહિ અને શોક, ક્રોધ, ભય પણ રોકી શકાય નહિ એ મધ્યમાવસ્થા નથી.
૪૩