આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કેટલાક પ્રસંગો અને અન્ત

.

પરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો. જે તે એમના ઉપર થૂ-થૂ કરવા મંડ્યા.

બુદ્ધ આથી જરાયે બીધા નહિ. "ખોટા બોલાને પાપ સિવાય બીજી ગતિ નથી." એમ જાણી એ શાન્ત રહ્યા.

૧૦. કેટલાક દિવસ પછી જે મારાઓએ વેરાગણનું ખૂન કર્યું હતું તેઓ એક દારૂના પીઠામાં ભેગા થઇ ખૂન કરવા માટે મળેલા પૈસાની વહેંચણી કરતા હતા. એક બોલ્યો, "મેં સુંદરીને મારી માટે હું મોટો ભાગ લઈશ."

બીજાએ કહ્યું, "મેં ગળું દાબ્યું ન હોત તો સુંદરીએ બૂમ પાડીને આપણને ઉઘાડા પાડી દીધા હોત."

૧૧. આ વાત રાજા ગુપ્ત માણસોએ સાંભળી. એમને પકડી એ રાજા પાસે લઇ ગયા. મારાઓએ પોતાનો ગુન્હો કબુલ કરીને જે હકીકત હતી તે કહી દીધી. બુદ્ધ પરનું આળ ખોટું ઠરવાથી એમને વિષેનો પૂજ્યભાવ ઉલટો બમણો વધ્યો, અને પેલા વેરાગીઓનો સર્વને તિરસ્કાર આવ્યો.
૫૩