આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગૃહસ્થાશ્રમ

જન્મ

૧. બુદ્ધદેવના જન્મની સોળ વર્ષ પહેલાં એ જ મગધ દેશમાં અને એ જ ઇક્ષ્વાકુ કુળની એક શાખામાં જૈનોના છેલ્લા તીર્થંકર શ્રી મહાવીરનો જન્મ થયો હતો. એમના પિતા સિદ્ધાર્થ ક્ષત્રિયકુંડ નામે એક ગામના રાજા હતા. એમની માતાનું નામ ત્રિશલા હતું. એમનો જન્મ ચૈત્ર શુદ તેરશને દહાડે થયો હતો. એમના નિર્વાણ કાળથી જૈન લોકોનો વીર સંવત ગણવામાં આવે છે અને તે વિક્રમ સંવત્ કરતાં ૪૭૦ વર્ષ જૂનો છે. નિર્વાણ સમયે મહાવીરનું વય ૭૨ વર્ષનું હતું એમ મનાય છે. એટલે એમનો જન્મ વિક્રમ સંવત્ ની ૫૪૨ વર્ષ પૂર્વે થયેલો કહી શકાય.


૭૫