આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સાધના





મહાવીરપદ

૧. નીકળ્યા ત્યારથી વર્ધમાને કદી પણ કોઈના ઉપર ક્રોધ ન કરવાનો અને ક્ષમાને પોતાનું જીવનવ્રત ગણવાનો નિશ્ચય કર્યો હતો. સામાન્ય વીરો મોટાં પરાક્રમો કરી શકે છે; ખરા ક્ષત્રિયો વિજય મેળવ્યા પછી ક્ષમા બતાવી શકે છે; પણ વીરો સુદ્ધાં ક્રોધને જીતી શકતા નથી અને પરાક્રમ કરવાની શક્તિ હોય ત્યાં સુધી ક્ષમા આપી શકતા નથી. વર્ધમાન પરાક્રમી હતા છતાં એમણે ક્રોધને જીત્યો અને શક્તિ છતાં ક્ષમાશીલ થયા, તેથી એમનું નામ મહાવીર પડ્યું.

૮૦