આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લોક્કવિતાનો પારસમણિ
૧૪૫
 


પ્યાસે ચાહત નીરકું, થક્કા ચાહત છાંય;
હમ ચાહત તુમ મિલનકું, કર કર લંબી બાંય.
પિયુ પિયુ કર પ્યાસી ભઈ, જલમે પેઠી ના’ય;
શિર પર પાની ફિર વળ્યો, પિયુબિન પ્યાસ ન જાય.
પ્રીત કરી સુખ લેનકું, ઉલટ ભઈ દુઃખ દેન;
પહેલી આગ લગાય કે, દોડ્યો પાની લેન.
જો મેં એસા જાનતી, પ્રીત કિયે દુઃખ હોય;
નગર ઢંઢેરા ફેરતી, પ્રીત ન કરિયો કોઈ.
પિયુ પિયુ કરતાં પીળી હુઈ, લોક જાણે પાંડુ રોગ;
છાની લાંધણ મેં કરું, પિયામિલન સંજોગ.
પ્રીતમ તેરે દરશ બિન, સૂકો શામ શરીર;
પાપી નેનાં ન સૂકે, ભર ભર આવે નીર.

ભાવ–પ્રતીકો પર જ આ લોકકવિતાનો મુખ્ય મદાર છે. એની સંવેદનાનો સંકેત–ચિહ્નો ન્યારા છે. અતીતની ધૂણી–જ્યારે રાખ ફંફોળો ત્યારે અંદર અગ્નિ જલતો ને જલતો – એ ભાવપ્રતીક લોકકવિતાને પ્યારું છે, કારણ કે એ એનું ધરગથ્થુ, તળપદું, આગવું છે. પણ આપણે છત્તીસગઢની આદિવાસી પ્રજાનાં ઝૂંપડાં તરફ પાછા વળીએ, ને એની કઠોર, ધૂળ ધૂળ, અને વિફલ મહેનતે રૂંધાતી જિંદગીને હતાશામાંથી ઉગારી લેતા કાવ્યને કાન દઈએ—

એહ હે હય ગા સેજરિયા મારે,
હો ગય અંધિયરિયા સેજરિયા મારે.

એ ધ્રુવપદે ધબકતા સારા યે ગીતની પ્રૌઢિ આ અંગ્રેજી અનુવાદના ય અનુવાદ પરથી પકડાઈ જાય છે—