તાણાવાણા વણી વણી નાગરિકો તે છાયામાં નગર ગૂંથતા. આકાશમાંથી વાદળ ઉતરે ને જગત્ભરી પડછાયો પડે, ત્હો ય ઉન્નત શિખર તેજસ્વી રહે : એવો જગત્છાયાથી પર મહૌજસ્ તે રાજવીર વિરાજતો હતો.