આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રનો સાધુ
સૌ
રાષ્ટ્રીઓ ! સહુ સુણજો,
સોરઠ સાધુસૂનો થતો જાય છે.
ને એ સાધુ યે ગયો
સાન્ત તજી અક્ષારમાં.
એ ગયો અવનિમાંથી ઉપર,
ને ચાલ્યે જ જાય છે એમની એમ
જગતની આ ઘટમાળ
શૃંગાળા ગિરનારનાં શિખરો
હવે સૂના સરીખડાં છે.
એ મુગટોમાં મણિઓ નથી.
ત્હેની પ્રિય ટેકરીઓને ખોળે
તે પોઢ્યો મૃત્યુસમાધિમાં;
ત્હેનાં પ્રિય સાગરજલમાં
ઠરી ત્હેની દેહભસ્મ.