આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ દિનથી તે ઑફિસ ટ્રાન્સવાલમાં ચાર મહિના સુધી ગામેગામ ફરી. પણ લગભગ બધી જગ્યાએથી તેનો બહિષ્કાર થયો. ૮,૦૦૦ જેટલી વસ્તીમાંથી આશરે ૪૦૦થી ઓછા રજિસ્ટર થયા. આ મુદત પછી પકડાપકડી શરૂ થઈ.
१८ सप्टेम्बर – માનનીય ગોખલેજી તરફથી એસોસિયેશનને આ પ્રમાણે તાર મળ્યો : તમારી લડત હું બરાબર જોયા કરું છું. ચિંતાતુર રીતે તેમાં મન પરોવાઈ રહ્યું છે. અત્યંત દિલસોજી બતાવું છું. લડતની તારીફ કરું છું. ઈશ્વરઈચ્છા ઉપર દઢતાથી આધાર રાખજે.
२५ ऑक्टोबर– ખૂની કાયદાની સામે ટ્રાન્સવાલના સાત કે આઠ હજાર હિંદીઓમાંથી, ૪,પર ર સહીની એક મોટી અરજી એસોસિયેશન તરફથી સરકારને મોકલવામાં આવી.
३ नवेम्बर – રજિસ્ટ્રેશનની અરજીઓ લેવાનું બંધ થયું.
११ नवेम्बर- સત્યાગ્રહીઓની પકડાપકડી પ્રથમ શરૂ થઈ.
२७ डिसेम्बर- ગાંધીજીને કોર્ટમાં હાજર થવાની ચેતવણી મળી.
२८ डिसेम्बर– જોહાનિસબર્ગમાં મિ. જૉર્ડને ગાંધીજીને ૪૮ કલાકમાં ટ્રાન્સવાલ છોડવાનો હુકમ કર્યો.

૧૯૦૮

१० जान्युआरी – જોહાનિસબર્ગમાં મિ. જેડને ગાંધીજીને બે માસની અાસાન કેદની સજા કરી.
३० जान्युआरी – સત્યાગ્રહી કેદીઓને છોડચા. ટ્રાન્સવાલ સરકારે હિંદીઓની મરજિયાત રજિસ્ટર થવાની માગણી સ્વીકારી અને ખૂની કાયદો રદ કરવાનું વચન આપ્યું.
१० फेब्रुआरी – ગાંધીજી, શ્રી થંબી નાયડુ અને બીજા કેટલાક રજિસ્ટર અૉફિસે જતા હતા તેવામાં ગાંધીજી ઉપર માર પડચો.
२४ जून – સરકારે ખૂની કાયદો રદ કરવાની ના પાડી તેથી સત્યાગ્રહની લડત ફરી શરૂ થઈ. શ્રી સોરાબજી પ્રથમ નાતાલમાંથી ટ્રાન્સવાલમાં દાખલ થયા અને ર૦મી જુલાઈએ તેમને વૉલક્રસ્ટનના મેજિસ્ટ્રેટે એક માસની જેલની સજા કરી.