આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૮
દાનવીર કાર્નેગી



જીવનની અવસ્થાએ, અને કુદરતના નિયમેપૈકી, કેટલાંક આપણને ખામીભરેલાં લાગે છે; અને કેટલાંક દેખીતી રીતે દયાહીણ અને અન્યાયયુક્ત લાગે છે; પણ તેમાંનાં કેટલાંક એવાં હાય છે કે જે પેાતાના સૌંદર્ય અને માથી આપણને છક કરી નાખે છે. જન્મભૂમિ ઉપરના પ્રેમ, તેમાંને એક છે. તેને સ્થળ અગર સ્વરૂપને આધ નડતા નથી અને જગન્નિયંતાએ પેાતાના વાસ્તવ સ્વરૂપની પ્રતીતિ એકજ પ્રજા કે એકજ કામને કરાવી નથી; પણ પ્રત્યેક પ્રજાના વર્તમાન ઉત્ક્રાન્તિકાળમાં જેવા જેવા સદેશની આવશ્યકતા હેાય છે, તેવેા તેવા સદેશા તેને પહોંચાડેલા છે, એ કેવી આનંદની વાત છે ! એ અજ્ઞાત શક્તિએ કાઇને વિસારી મૂકયું નથી–કાઇની અવગણના કરી નથી. ૧૮૮ Gandhi Heritage Portal