આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૪
દાનવીર કાર્નેગી



હું તરતજ યૂાપ જવા માટે ઉપડી ગયે; અને હમેશની માફક મારા કેટલાક ભાગીદારામને વળાવવા તથા સફળ સફર ઈચ્છવા મારી સાથે સ્ટિમર સુધી આવ્યા; પણ અરે, આ વખતની વિદાયગીરી કેવી જૂદી જાતની હતી! ગમે તેમ મેલીએ અને ગમે તેમ ચાલીએ, પણ જૂની સ્થિતિ બદલાઇજ ગઇ હતી. આ વાત મારા ખ્યાલમાં આવ્યા વગર રહી નહેાતી. આ વિદાય- ગીરી બહુ સખ્ત હતી; તેમનાથી છૂટા પડતાં મને અપાર દુઃખ થયું હતું. કેટલાક માસ પછી હું જ્યારે ન્યુયોર્ક પાથે કર્યો, ત્યારે હું જાણે તદ્દન સ્થાનભ્રષ્ટ થયા હાઉ’ એમ મને લાગ્યું; પણ કેટલાક ભાઇઝ’ તે ( મારા બાળપણના મિત્રાને ) મને આવકાર આપવા માટે બંદર ઉપર આવેલા જોઈ મારામાં ઘણેા ઉત્સાહ આવ્યો. એ પ્રથમનાજ જૂના મિત્રો હતા, પણ અમારી સ્થિતિમાં કેટલેા બધા ફેરફાર પડી ગયા હતા. મેં ભાગીદારા ગુમાવ્યા હતા, પણ મિત્રા ગુમાવ્યા નહેાતા–એ ભાગીદાર મટી ગયા હતા, પણ મિત્રતરીકે કાયમ રહ્યા હતા. આ કાંઇક આશ્વાસન લેવા જેવું હતું-ઘણું હતું; છતાં શૂન્યતા તે। રહીજ હતી. હવે મારે મારા વધારે પડતા દ્રવ્યની વિવેકપુર:સર વ્યવસ્થા કરવાના જાતે વહેારી લીધેલા કામમાં જીવ પરાવવાના રહ્યો.એ કામમાં મને પુષ્કળ મઝા પડશે. ૨૩૪ ‘સ્કાટિશ અમેરિકન ’ નામના ઉમદા પેપરમાં પ્રસિદ્ધ થયેલી એક લીટીએ એક દિવસ મારૂ ધ્યાન ખેંચ્યું. એ પેપરમાં વખતેવખત સુંદર વચનામૃત પ્રસિદ્ધ થતાં. એ લીટી નીચે મુજબની હતી.

વણવા શરૂ કરેલા થાનને માટે દેવતાએ સૂતર પૂરૂં પાડે છે’ અર્થાત્ આર્ભેલા કાર્યને પૂરૂ કરવામાં ઈશ્વર મદદ કરે છે. આ લીટી જાણે મને ઉદ્દેશીનેજ લખાઇ હાય, એમ મને લાગ્યું. એનું રહસ્ય મારા હૃદયમાં ઉતરી ગયું; અને મેં તરતજ થાન વણવાનું શરૂ કરવાનો નિશ્ચય કર્યો. બન્યું પણ તેમજ; દેવતાઓએ ચેાગ્ય સ્વરૂપમાં સ્તર મેાલી આપ્યુ. ન્યુયાર્ક પબ્લીક લાઘેરીઝવાળા ડાકટર જે. ઍસ. બિલિગ્સ તેમને એજટ હતા. ન્યુયોર્ક શહેરમાટે ૬૮ લાઇબ્રેરીએ સ્થાપી આપવાનું મેં વચન આપ્યું અને તેને માટે એકી કલમે સાડીબાવન લાખ ડૉલર કાઢી આપ્યા. જીક્લીન શહેરમાં પણ મેં વીસ લાઇબ્રેરીએ બધાવી આપી. મેં આગળ જણાવ્યું છે તેમ ડન્કલાઇનના જે પાંચ વણકરેાએ પેાતાનાં પુસ્તક એકઠાં કરી પોતાના એછા નસીબદાર પાડાશીઓને વાચનની અનુકૂળતા કરી આપી હતી, તેમાંના એક મારા પિતા હતા. મેં તેમને પગલે ચાલી મારી જન્મભૂમિને એક લાઇબ્રેરી બંધાવી આપી હતી-એને પાયે નાખવા- meritage Portal