આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૧
હબર્ટ સ્પેન્સર અને તેમનો શિષ્ય
અગનાં કબ્યાને વિચાર કરીશું.
આ અગમ્ય,ગૂઢ,અવ્યક્ત સૃષ્ટિમાં આપણે ઉપરની ધૂળના એક રજકણ
જેવા છીએ-અરે એવડા પણ નથી. એવા વિચાર આવતાં હું થાકીને પાછા હઠુ
છું. મને માત્ર એકજ સત્ય પ્રતીત થાય છે; અને તે કૅક્વિને વ્યક્ત કર્યું છે.
“ મનુષ્યજાતિની સેવા એ ઇશ્વરની સર્વોત્તમ પૂજા છે” આવી માન્યતા રાખ્યા
છતાં પણ જીવાત્માના અમરત્વની અમર આશાને લાપ થતા નથી. પુનર્જન્મને
પ્રાપ્ત થઇ નવું જીવન જીવવાની સ્થિતિમાં મૂકાવું એ હાલનું જીવન જીવવા
માટે જન્મવાના કરતાં વધારે અદ્ભુત ઘટના નથી. આ જીંદગી ઉત્પન્ન કરવા-
માં આવી છે તે પછી બીજી ઉત્પન્ન કરવામાં આવે, એમાં શી મેટી વાત
છે ? એટલે જીવાત્મા અમર છે એવી આશા રાખવા માટે સંગીન કારણ છે.
ત્યારે આપણે એવી આશા શામાટે ના રાખીએ ?’
Gandhi Heritage Portal