આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દેશી રાજ્યોનો પ્રશ્ન


દેશી રાજ્યો કંઈ હિંદુસ્તાનની બહાર નથી. હિંદુસ્તાનના બધા લોકોની સામે એક જ પ્રશ્ન છે. બધાને ધર્મયુદ્ધ આવી પડ્યું છે. બધાએ સત્ય, નિર્ભયતા, શાન્તિના પાઠ ભણવા રહ્યા છે. અંગ્રેજી રાજ્યની હદમાં અંગ્રેજી રાજ્યની સામે બોલવું ઇષ્ટ હોઈ શકે, પણ દેશી રાજ્યોમાં આપણને એમ કરવાની લગીરે આવશ્યકતા ન હોય.

નવજીવન, ૧૫–૫–૧૯૨૧