આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૪
દેશી રાજ્યોનો પ્રશ્ન

એમણે ઘૂંટવો રહ્યો છે. અને બીજાં હિંસાનાં તમામ બળો ઉપર તેમણે કાબૂ જમાવવો રહ્યો છે. અહિંસાને માર્ગે આઝાદી મેળવવી હોય તો પોલીસની મદદ લીધા વિના આખા ત્રાવણકોરમાં શાંતિ જાળવવાની જવાબદારી ઉઠાવવાની તેમની તૈયારી જોઈશે. સભાઓ અને સરઘસો અજ્ઞાન આમવર્ગમાં પ્રચારકાર્યને સારુ જરૂરી છે; જેનામાં નાગરિક તરીકેની પોતાની ફરજોનું ભાન આવી ગયું છે એવી પ્રજાને સારુ તે જરૂરી નથી. અને સ્વરાજ તો જાગતાને સારુ જ છે, ઊંઘણશી અનાડીને માટે નહિ.

બારડોલી, ૨૩–૧–૩૯
હરિજનબંધુ, ૨૯–૧–૧૯૩૯