આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૪
દેશી રાજ્યોનો પ્રશ્ન
૫. એ નિર્વ્યસની હોય અને બધી જાતનાં કેફી પીણાં ઇત્યાદિથી મુક્ત રહે. તેથી તેની બુદ્ધિ હંમેશાં નિર્મળ અને તેનું મન નિશ્ચળ રહેતાં હોય.
૬. વખતોવખત ઘડાતા શિસ્તના નિયમોનું તે રાજીખુશીથી અને ચીવટપૂર્વક પાલન કરે.
૭. તે જેલનિયમોનું પાલન કરે, સિવાય કે જ્યાં તેના માનભંગને ખાતર જ કોઈ નિયમો ખાસ ઘડવામાં આવ્યા હોય.
સત્યાગ્રહીની લાયકાતોની આ યાદીને કોઈ સંપૂર્ણ ન ગણે. ઉદાહરણરૂપે જ તે અહીં આપી છે.
- નવી દિલ્હી, ૨૦–૩–૩૯
- હરિજનબંધુ, ૨૬–૩–૧૯૩૯