આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

જાતિઅનુભવ છે. કાઠિયાવાડી જો સેવા કરવા ઈચ્છે તો મુત્સદ્દી મટી ભંગી, ખેડૂત, વણકર, કુંભાર સુતાર ઇત્યાદિ બને. તેમાં તેમના અક્ષરજ્ઞાનની ને મુત્સદ્દી અનુભવની મેળવણી કરે. તે મેળવણીની સાથે સત્ય અને અહિંસા ભળે, તો એ ત્રિપુટીમાંથી જે શક્તિ પેદા થાય તેનો મુકાબલો કોઈ રાજશક્તિ ન જ કરી શકે.

નવજીવન, ૧૮–૫–૧૯૨૪