આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭
કાઠિયાવાડીને અન્યાય?

પડવાનો મને વધારે અધિકાર છે. અને મહાગુજરાત તે કડવું નહિં પીએ તો હું કોને પાઈશ ? પછી મારી દવાની પિછાણ હું કોની પાસે કરાવીશ ?

છેવટમાં, કાઠિયાવાડી મુત્સદ્દીવર્ગ વાચાળપણાનો પૂર્ણ સંયમ પાળી, ખટપટનો ત્યાગ કરી, મૂંગે મોઢે કામ કરતો થઈ મારી ટીકાને ખોટી પાડે એમ હું ઇચ્છું છું. ટીકા કરવામાં મને રસ નથી આવતો. તે કરીને કાઠિયાવાડ પાસેથી પૂરું કામ લેવાની ઉમેદ રાખું છું.

નવજીવન, ૧–૬–૧૯૨૪