પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૯૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


શાળામાં મરાઠી અને ગુજરાતી એમ બે શાખાએ રાખવાનું ઠરાવ્યું. શ્રી લક્ષ્મણરાવ નાયક મુબાઇની સ્માલકીઝ કામાં ટ્રાન્સલેટર હતા તેથી તે- મને હિંદી તે ગુજરાતી ભાષા સારી આવડતી હતી. તે વખતે તેમણે રજા લીધી હતી. લક્ષ્મણરાવે જ શાળાના સુપ્રિન્ટેન્ડેટ તરીકે કામ કરવું એવી મેં તેમને વિનંતિ કરી ને તેમણે ખુશીથી તે કબુલ કરી, અને રજા પૂરી થતાં જ પેન્શન લઇ છુટા થયા. પૈસાની તાણુને લીધે તેમની લાયકાતના પ્રમાણમાં અમારાથી પગાર આપી શકાય એમ ન હતું. શાળાનું ખર્ચ ઘણું આવતું. ભાડા માટે જ કાઈ વાર મુઝવણ થતી. તેથી શ્રી લક્ષ્મણુરાવ ( તે મલબાર હિલ પર રહેતા હાવાથી ) માત્ર ગાડીભાડાનું ખર્ચ લઈ કામ કરવા તૈયાર થયા. ૭૪ કન્યાશાળામાં કન્યાઓની દેખરેખ રાખે તે શાળામાં જ રહે એવી એક પુખ્ત ઉમ્મરની ખાઇ હાય તે। ઠીક એમ લાગવાથી તે કામ શ્રીમતી પાર્વતીબાઇ આઠવલેને સાંપ્યું. આગળ પર શાળામાં ગુજરાતીની જરૂર રહી નહિ ને શ્રીમતી સીતાબાઈ અણ્િગેરીની મુખ્ય અધ્યાપિકા તરીકે નીમણુંક થઇ તેથી પાર્વતીબાઇ ત્યાંથી છુટાં થયાં. મુંબાઇની શાળા માટે વખત જતાં વિશેષ ખર્ચ કરવું પડશે એ ધ્યાનમાં લઈ સર વિઠ્ઠલદાસની મદદ મળ્યા પછી દર વર્ષના અંદાજપત્રકમાં મુંબાઈની શાળા માટે અમુક રકમ જુદી કાઢવામાં આવતી. આ રીતે ઘેાડી રકમ ચાલુ વર્ષના અંદાજપત્રકમાંથી તે ઘેાડી પહેલાંની શિલ્લકમાંથી લઈ મુંબાઈની શાળાનુ ખર્ચ કાઢવાનુ કરાવ્યું. આ શાળા ૧૯૨૪ ના ફેબ્રુઆરીની ૧ લી તારીખે ઉધાડવામાં આવી. મુંબાઇમાં શાળા ચલાવવામાં પડતી મુશ્કેલીની હકીકત ૧૯૨૪ના જુન મહિનામાં મળેલી સેનેટ પાસે વાંચવામાં આવેલા રિપોર્ટ માં નીચે પ્રમાણે આપેલી છેઃ— “ The university has also made a further advance by opening a school in Bombay. But it was faced with two difficulties in carrying out the idea. First, the claims of vernaculars as media of instruction are not so keenly recognised by the cosmopolitan citizens of Bombay, as by the inhabitants of other places. Secondly, a school in Bombay necessarily means the of a large amount of money. But the universi- outlay of a t the universi