આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૪ : દીવડી
 

કરતાં મારે તને જુદું જ સમજાવવાનું છે.'

'તો સમજાવ; વાર કેમ કરે છે ?'

'મારું હૃદય ચાલતું ન હતું. મારી વાણી બંધ થઈ જતી હતી. મારું જીવન સુખી કરવા તું મથી રહી છે છતાં હું સુખી થવા સર્જાયલો પુરુષ નથી.’

'એટલે ?'

'હું અને તું પરણી નહિ શકીએ.'

'કારણ ! એટલે પહોંચ્યા પછી ? '

'કારણ જોટલું જ કે...કુસુમનો આત્મા હજી મારી આસપાસ ...નહિ, મારા હૃદયમાં જીવંત રહ્યો છે. હું તને જીવંત સપત્નીની સ્થિતિએ ન જ મૂકું.'

'કુસુમ પ્રત્યેનો તારો ભાવ શું હું પરખી શકી નહિ હોઉં?'

'ના. મારે મન હજી કુસુમ જીવંત છે.’

'શા ઉપરથી એમ લાગે છે ?'

જો સાંભળ. તને તો એ પરિચય ન હોય... છતાં ધ્યાન દે ...આપણને છાયો આપતા વૃક્ષ ઉપર એક પક્ષી શું બોલી રહ્યું છે?' મેં ઉષાને કહ્યું. ઉષાને માટે હું વીંટી કાઢવા જતો હતો તે જ ક્ષણે મેં મારા ઊડી ગયેલા પોપટના શબ્દો સાંભળ્યા :

'કુસુમ !..કુસુમ...બોલો શુકદેવ !...અરુણ ! જાગવું નથી ? ..સવાર થયુ...' એ શબ્દોએ જ મને ચમકાવ્યો હતો અને જડ બનાવ્યો હતો.

ફરી એના એ જ શબ્દ મેં સાંભળ્યા...અને વધારામાં હવે ઉષાએ પણ એ શબ્દો સાંભળ્યા...અને એ શબ્દો સમજી પણ ખરી ! જરા ક્રુદ્ધ થઈ તેણે મને કહ્યું :

‘કુસુમના ભૂતને હજી વળગવું હોય તો ભલે ! તારી મરજી ! તું જાણે !'

'પણ એ કુસુમનું ભૂત કદાચ તને જ વળગે તો?...જૂના