આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચતુર્થ ખંડ




છેલ્લો મેળાવડો
: ૧ :

છમાસિક પરીક્ષા ગયા પછી એક દિવસ શાળાના શિક્ષકભાઈએાની સાથે હું બેઠો હતો.

ચંદ્રશંકરે કહ્યું: “ખરેખર, તમે કાંઈ અજબ જેવા લાગો છો. મારે કહેવું જોઈએ કે તમારો અખતરો સફળ થયો છે. અમને વિશ્વાસ નહોતો કે પ્રાથમિક શિક્ષણમાં આવું કશું શક્ય હોય.”

ભદ્રશંકરે કહ્યું: “ભાઈ, એ તો અંગ્રેજી ભણેલા છે એટલે અંગ્રેજી ચોપડીઓ વાંચી વાંચીને નવા નવા અખતરા કરે.”