આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


પ્રમુખે વચમાં પડી કહ્યું: “ પુરુષને પહેરવાની સાડી એવી ખોટી હકીકત કહેશો તો હું તમને બોલતા બંધ કરીશ."

હરજીવને ઠંડે પેટે જવાબ આપ્યો: " જી, હું અક્ષરે અક્ષર ખરું કહું છું. વકીલ સાહેબના પ્રશ્નોથી આપને મારો અર્થ ખોટો લાગે છે. આ સાડી નાટકમાં સ્ત્રીનો વેષ લેવાને માટે ખાસ કરવામાં આવે છે. અને નાટક કંપનીની જ આ સાડી છે."

શ્રોતાવર્ગ ગભીર આશ્ચર્યમાં પડી ગયો અને મોં પહોળું કરી હરજીવન સામું જોઈ રહ્યો. મેં કહ્યું: “ ત્યારે એ માણસ ખૂન કરવા જતી વખતે નાટક કંપનીની સાડી શા માટે લેવા જાય? પોતાના ઘરમાંથી જ સ્ત્રીનું કપડું લઇને ન જાય ? ”

હરજીવનઃ “ સ્ત્રીતરીકે વધારે આકર્ષક દેખાવા. અને કદાચ એવું કારણ પણ હોય કે તેને ઘરમાં સ્ત્રી જ ન હોય, અથવા સ્ત્રી હોય તો પણ અહીં અમદાવાદમાં એકલો જ રહેતો હોય.અને ધર ને સ્ત્રી બન્ને અહીં હોય તો પણ, વકીલ સાહેબ ! આવું કામ કરવા તમારા ઘરનાં માબહેન કે કોઈ પણ સ્ત્રી તમને કપડું આપે ખરાં કે ? તેણે નાટક કંપનીમાંથી જ લેવું પડે."

લોકો હસવા લાગ્યા. આખી સભામાં માત્ર પ્રમુખ જ મારા પક્ષના હતા. તેમણે કહ્યુંઃ “ ત્યારે સાબીત કરો કે એ માણસ નાટકમાંથી લઇ આવેલો હતો. ”

હરજીવને વળી થેલીમાં હાથ ધાલી એક ખોટી જરીની સાડી કાઢી અને બધા દેખે તેમ પેલો છેડો તેની સાથે મેળવી બતાવ્યો અને કહ્યું: “જુઓ હવે ખાતરી થઈ ?"

લોકો ચકિત નયને જોઈ રહ્યા હતા. તેમાંથી એક માણસે કહ્યું: "ત્યારે હવે નામ જ કહો ને?”

હરજીવનઃ “ના, એક વાર પૂરાવો પૂરેપૂરો ખરો કરી

૧૧૪