આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કપિલરાય


મરને અથડાતી અને તુમાર વધતો. સરકારી રાજ્યનું પોલ તો ખુલ્લું થાય છે!"

મેં પૂછ્યું: "પણ તમે એટલાં બધાં નામ કેમ રાખો છો ?"

"તે મને શું યાદ રહે કે મેં કયા નામથી પહેલી અરજી કરી હતી ? ઉતાવળમાં તે વખતે જે નામ યાદ આવે તે નામથી અરજી કરી નાખું. મારે તો હજાર જગ્યાએ મિત્રોને કાગળ લખવાના, માસિકોને લેખ લખવાના હોય. જુઓ! મારે કેટલા માણસો સાથે સંબંધ છે તે બતાવું. જુઆ, આટલાં તો દિવાળી ઉપર મારા ઉપર કાર્ડો અને કવરો આવેલાં. જુઓ કેટલી છાપેલી અને કેટલી લખેલી કવિતા છે! મેં આથી પણ વધારે માણસોને પત્રો લખેલા. દરેકને જુદાં નામ." કપિલરાયે ગંજીપા જેવડો કાર્ડોનો થોકડો બતાવ્યો.

મેં કહ્યું: " પણ્ સરકારને તમારાં બધાં નામો ક્યાંથી યાદ રહે ?"

"તે બીજા પક્ષકારો હોત તો યાદ રહેત કે નહિ ? ” હવે મને પૂછ્યા કરતાં સાંભળવું જ ઠીક લાગ્યું: “ સરકાર આપણા સાહિત્યને નથી ખીલવા દેતી. હું ખરો તો એકવાર સરકારને સાહિત્યથી સરખી કરી નાંખું !"

“ મારે તા સાહિત્યના જ ઉદ્ધાર કરવો છે. શું આપણા ગુજરાતમાં નોબેલ પ્રાઇઝ ન મળી શકે એમ માનો છો ? ન કેમ મળે, અત્યારથી કયાં કયાં તખલ્લુસોથી લખવું તે નક્કી કરી રાખ્યું છે. કયાં કયાં નોવેલો લખવાં તેનાં નામો નક્કી કરી રાખ્યાં છે. સાહિત્યને માટે જ કામ કરનાર એક મંડળી ઊભી કરવી છે. તેમને તથા બહારનાને જેને જેને તખલ્લુસો કે પુસ્તકોનાં નામો જોઇએ તેમને પૂરાં પાડવાની ગેાઠવણ કરવી છે. જુઓ, આ

૧૪૭