આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કપિલરાય


સ્વીકાર્યું. સૌથી પ્રથમ અંક ચૌસર-સર્વસ્વનો હતો. તેમાં આ ચર્ચાના બધા લેખો, તારીખના અનુક્રમે, અને તે ઉપરાંત કોણે કોને કયા સામિયક દ્વારા જવાબ આપ્યા તે સર્વ હકીકત સાથે, આપ્યા હતા અને તેની એક હજાર નકલો તા તુરત ખપી ગઈ !! આખા હિંદુસ્તાનમાં કોઇ પણ સાહિત્યના સામયિકનો પહેલો જ એક આટલી ઝડપથી ખપ્યો નથી એમ આંકડા આપી તંત્રીએ સાબિત કરી બતાવ્યું !

અમારી હૉસ્ટેલ પણ આ ચર્ચામાં રસ લેતી હતી. અમને પોતાને તો ખાતરી હતી કે આ લેખ કપિલરાયે લખ્યો હોવો જોઇએ. અમે કપિલરાયને બોલાવ્યા અને તેમને આ તોફાન કરવા માટે સહર્ષ અભિનન્દન આપ્યું. પણ કપિલરાય તો એકદમ ગંભીર થઇ ગયા અને કહે, કે એ લેખ એમનો ન હોય એ પોતે તો આમ પકડાઇ જાય એવા નામથી લેખ લખે જ નહિ, અને પારકી કલ્પનાનો ઉપયોગ પણ ન કરે. અમે તેને માની જવાને માટે બહુ બહુ કહ્યું પણ તે એકનો બે થયો નહિ. તેનું રહસ્ય વીસ વરસ પછી બહાર પડશે એમ કહીને તે અમારાથી છૂટો પડ્યો.

કપિલરાયની આ અગમ્ય વાણીથી અમને સર્વને રીસ ચઢી. આનું કંઇક કરવું જોઇએ એમ અમને લાગ્યું અને તેનો ઉપાય શોધવા માંડ્ચેા. ધીરુભાઇએ એક યુક્તિ સૂઝાડી. આપણામાંથી કોઈ અમુકે એ લેખ લખ્યો છે એવાં એકસાથે ચર્ચાપત્રો લખવા માંડો એટલે ભાઇ સાહેબ પોતાની મેળે બહાર આવશે. આ યુક્તિ સર્વને પસંદ પડી, અમારામાં એક છગનલાલ ચોપાટના સારા ખેલાડી હતા અને ચોપાટ ઉપર તેમણે પહેલાં એક લેખ લખ્યો હતો તેમને અમે આ

૧૫૩