આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
२५


વાલી છે.” એ રીતે આ સ્ત્રીની કથા શરૂ થાય છે; અને આ ખૂનનો ભોગ થયેલો કેશરીસિદ્ધ તેને કેવી રીતે નસાડી ગયો, ભય આવતાં તે કેશરીસિંહે તેને કેવી રીતે ઠેકાણે ઠેકાણે વેચી અને વળી પાછો લઇ ગયેા ઇત્યાદિ ગુજરાતમાં આજે પણ બનતી હકીકતો રજૂ થાય છે. આ હકીકતના કથનમાં પણ આ બાઇએ જે ગુના કર્યા તેની પાછળનું માનસ વ્યક્ત કરી લેખક આપણને ન્યાયાધીશની મિથ્યાભિમાની ભૂમિકા ઉપર ચઢવા ન દેતાં માનવની સહાનુકમ્પાની ભૂમિકા ઉપર રાખે છે. કેશરીસિંહે એને બીજાને ત્યાં રહેવા કહ્યું, તો પ્રેમની મારી નાસી આવેલી સ્ત્રી કેમ હા પાડે? “બીકના માર્યા મૈં હા પાડી." કુંભારના ઘેરથી કેમ નાસી ગઇ ? તે “ મને કુંભારને ત્યાં ગમતું નહતું. ” અને છેવટે કેશરીસિંહનું ખૂન પણ કેશરીસિંહના આ ઘડી ઘડીએ વેચવાના ત્રાસથી કર્યુ એ માનસિક ઘટના જણાવી લેખક આ અમાનુષ જણાતી વાર્તામાં પણ માનવી અંશો દાખલ કરે છે.

આખી વાર્તાનું રૂપ વાતચીતનું છે. રેલવેના ડબ્બામાં ઈન્સ્પેકટર વાતો કરે છે અને કોર્ટમાં વિવાદ થાય છે. કેસના મુદ્દાઓ ઉપર વળી મુસાફરો ઇન્સ્પેકટરો ટીકાઓ કરે છે અને એ રીતે વાર્તા ચાલે છે. આ વાતચીતથી જ આ પ્રત્યેક અમલદારનાં રેખાચિત્રો દોરાઇ જાય છે ——એ આનુષંગિક્ છે પણ વાતાના આકર્ષણનું એક કારણ છે.

મિ. કેશવલાલ વાત પૂરી કરે છે; અને આખી વાત એટલી બધી અસંભવિત લાગે છે કે બધાએ તેને ખોટી માને છે, એટલામાં એ જ ખાનામાં છેવાડે બેઠેલી ધુમટો તાણેલી એક બાઈ બોલી ઊઠે છે: “ના, ખરી છે." ભાઇ હરિ આન્દામાનથી પાછી આવતી હતી. વાર્તાને નક્કી કરવાની આ રીત ચમત્કારી છે, જો કે એના ઉપર નાટકીપણાનો દોષ પણ મૂકી શકાય!