આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જમનાનું પૂર


તેનો દીવો કેટલે ગયો તેની કશી ખબર કોઈને પડી નહિ. તે દીવો માત્ર તે એકલી જોતી હતી.

આજે કાલિન્દીએ ધ્યાનસ્થ યોગી જેવા અનેક ઉચ્ચ પર્વતોના પગ ધોયા છે, આજે કાલિન્દીએ જગતનો કેટલોય મેલ પોતાના વેગમાં ખેંચી તેને દરિયામાં લુપ્ત કર્યો છે, આજે કાલિન્દીએ તટ ઉપરનાં કેટલાંય ખેતરોને ફળદ્રૂપ કર્યાં છે, આજે કાલિન્દીએ કેટલાય દીવાઓ વક્ષસ્થલ ઉપર ધારણ કર્યાં છે—કદાચ તેનો દીવો પણ ધારણ કર્યો છે, પણ “ મારેા દીવો સૌથી આગળ જઈ સર્વને વિસ્મિત કરશે" એટલે મનોરથ સિદ્ધ થયો દેખાડવા જેટલો સદ્ભાવ કાલિન્દીએ તેના તરફ બતાવ્યો નહિ !

જગતનાં પૂરનો હેતુ શું હશે ?

૨૧