મેહિલે ફેસાનેયાન વાર્તાવિનાદ મંડળ ૯૩ ધનુભાઈ: ખરું. હવે મારી વાર્તામાં મુખ્ય વાત શું હતી તે વિચાર।. એક રોડના એકના એક દિકરાની આંખમાં માકરડીએ ભૂલથી ઍસિડનાં ટીપાં નાંખ્યાં. છતાં શેઠ તેના તરફ ઉદાર રહ્યો. આ મારી વાર્તાનો મુખ્ય ભાવ, હવે | ચેખાવની વાર્તા લેા. તેમાં એક ઘણી જ નાની ઉંમરની છોકરી ચાકર રહેલી છે. તેને ઊંધ આવે છે છતાં તેને શેનું છોકરું રાત્રે રાખવું પડે છે. પ્રમીલા: હીંચાળવું પડે છે કહેવું જોઈએ. નુભાઈ: હવે હીંચાળવું પડે છે; તે અકળાય છે, ભાન ભૂલે છે, અને ખેભાનમાં, અર્ધધેલછામાં એ છેકરાને મારી નાંખે છે, ત્યાં વાત પૂરી થાય છે. ચેખોવની વાર્તામાં ચાકરડોના માનસનું આબેદ્બ ચિત્ર છે. એ વર્ગના મનમાં શું ચાલે છે, તેના માનસ તરફ ખેપરવા રહેલા શેઠે। ચાકરાને અરધા ગાંડા કરી મૂકે છે, ચાકરાના ઘણાખરા ગુના પાપમુદ્ધિથી નહિ પણ અકળામણની ઘેલછાથી કરેલા હાય છે, એ તેને બતાવવું હોય છે. મારી વાર્તામાં માત્ર એક શેઠની ઉદારતાનું વર્ણન છે. મારી વાર્તા રહસ્યદૃષ્ટિએ ચેખાવના કરતાં ઉતરતી છે, જો કે આપણા એ લાગણીધેલા ટીકાકારે તેને ચેખાવના કરતાં ઉન્નત અને દિવ્ય સંદેશ આપનારી કહી, અને ચેખાવમાંથી લીધેલી કહીને પાછી ઉતારી પાડી. તેણે રહસ્યદૃષ્ટિએ ઊતરતી કહી હત તે મને ગમત પણ ચેખોવથાંથી સૂચિત થયેલી કહી છે તે ખોટી ટીકા ઉપર હું ચિડાતા હતા. હું સ્પષ્ટ જોઈ શકતા હતા કે એ ટીકાકાર પેાતાનું ડહાપણ, પોતાનું વાચનસાન, તુલના કરવાની શક્તિ, વખાણ સાથે નિંદા કરવાની કળા, અને સૌથી વધારે તા સમ્ર ટીકા કરવાની બહાદુરી બતાવવા આમ લખતા હતા. તે તેની પામરતાથી હું વધારે ચિડાતા હતા. પ્રમીલા: પણ તમે જગતના કારણ કેમ શેાધી કાઢતા નથી. મહાન હેતુશાસ્ત્રી આનું 32
પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૦૫
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે