આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દ્વિરેફની વાત વાર્તાની મગ નુભાઈ: કારણ સ્પષ્ટ છે. લૉકામાં વધી છે. એટલે લેખા પાતામાં શક્તિ છે કે નહિ તે વિચાર્યા વિના, અને શક્તિની શ્રદ્ધા વિના, પરભારી પરદેશી વાર્તાન અનુકરણા કરવા માંડે છે. અને ટીકાકાર પણ પછી આ આવાં અનુકરણો શોધી કાઢવાં એ એક જ ટીકાની દિષ્ટ હાઈ શકે એમ માને છે. જેમ વેપારમાં આપણા લોકા સાથે વેપાર નથી કરતા પણ માત્ર પરદેશી વેપારની દલાલી કરે છે, તેમ આપણા વાર્તાલેખકે સાહિત્ય ન લખતાં સાહિત્યના અનુવાદો કરે છે. વેપારમાં તા પરદેશી માલ પણ ધરાકાને મળે છે પણ સાહિત્યમાં તેટલું પણ નથી મળતું. એટલે પરદેશી માલ કરતાં આ પરદેશી અનુવાદો વધારે ખરાબ છે. ધીરુબહેનઃ જેમ મહાત્માજીએ ખાદી પ્રવૃત્તિ શરૂ કરી તેમ તમે પણ એક શુદ્ધ ગુજરાતી વાર્તા ઉત્પાદક મંડળી કાઢા, પ્રમીલાઃ હા, હા, ભાઈ! જરૂર કાઢો. મેં કહ્યું: એ મશ્કરી ભલે કરતાં પણ હું ગંભીર છું, જરૂર એક કલબ કાઢો. નુભાઈ: પણ આપણી વાર્તાઓ વાંચશે કાણુ ? ધીરુબહેનઃ મહાત્માજી કહે છે. દરેક ધરે ખાદી • ઉત્પન્ન કરી પેાતાની ખાદી પાતે પહેરવી જોઈ એ. આપણી વાર્તાએ આપણે વાંચીશું. નુભાઈ: ખરેખર ક્લબ કાઢીશ હાં ! પછી મારી વારતા સાંભળવી પડશે. અત્યારે મારી સૌથી વખણાયેલી વાર્તા પણ નથી વાંચતાં તે ન ચાલે. તેને અભિપ્રાય આપવેા પડશે, વખાણવી પડશે. મેં કહ્યું: પણ એક શરત. વાર્તા ક્લબ અહીં ભરાવી જોઈ એ, અને... હું શુષ્ક ક્લખેને નથી માનતા, તેમાં પીણાં જોઈ એ ! 33