આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દ્વિરેફની વાત મનહર૦ઃ હવે આવ્યા સમજો. સાંઝે ફરવા જવાની વ ૧૩૨ જયંતી : મને નહિ ખબર અલ્યા હૈ! કે લલિતા આવડી મેટી થઈ હશે. એ છોકરાંની મા જેવડી છે. છેટા: તેમાં તને શેની આટલી બધી થાય છે? કાંઈ તને નથી પરણાવવાને ! સુગમ જયંતી : ભલે તે, મને નહિ પરણાવે પણ નાત બહાર ઓછું જવાય એવું છે! નાતમાં વરમાં વર તેા એક તનમન- શંકર છે, તે ખીજવર, ને ઘેર એને વેચી આવે એવડા મેટા છોકરા છે. ખીજા આપણા અર્જુન બાણાવળી હીરાભાઈ છેટા: તે પેલા પાર્વતીશંકર નહિ કે? જયંતી: એના છ ભાઈ કુંવારા મરી ગયા, ને હવે એને કાઈ પરણાવે ? એના બાપના વંશ રહ્યો એ ઘણું છે. ત્યાં દૂરથી કોઈ આવતું જણાય છે. બધા પાનામાં મેટું ઘાલીને ગણગણવા માંડે છે અને પેલા માણસ નજીક આવતા નય છે તેમ ગણગણાટ મોટા થતા જાય છે. એ કણખી છે. દર્શન કરી પૈસા નાંખી ગદ્નારમાં ડોકિયું કરી કહે છે. એટલે સાંઝ પાયે બહાર નીકળે. કણબી : મહારાજ પાઇ કરવા આવ્યા છે કે? જયંતી માથું ધુણાવી હા કહે છે. એ ચાલ્યા જાય છે એમ ખાત્રી થતાં જયંતી : તે એ મોટી કરીને કરશે શું? ટા: ‘ કરશે શું’ શું ? મુંબઈમાં રહે છે તે કાઈ સાહેબ લાકને પરણાવરો. જયંતી : અલ્યા સાંભળેા. આ નાતમાં એવું થવું જોઈ એ, કે અંતુને કહેવું જોઈએ, કે તારી બહેનને કાઈ સાથે પરણાવ (વાતમાં રસ આવતા જાય છે તેમ તેમ બધા હાથમાં પાનાં રાખીને પાસે પાસે આવતા જાય છે. ) શું નાતમાં વરને દુકાળ પડયા છે? એની મરજીમાં આવે એને પરણાવે. નહિતર 10