આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દ્વિરેફની વાતા અનન્ત : હા, તેવા કોઈ ઉપાય હાય તો જ પણ તમે માનતા જણાએ છે તેવા કોઈ તાત્કાલિક ઉપાય મને જણાતા નથી. ૧૪૪ તનમન : આપણે જેમ રાજ્યપ્રકરણમાં આપણા મતના માણસા એકઠા કરીને લડીએ છીએ તેમ નાતમાં પણ આપણે પક્ષ કરીએ, તે। તીએ. નાતમાં એક વિશેષ ફાયદા છે કે નવી પદ્ધતિ ઘણાખરા માણસો જાણતા નથી. અનન્ત : મને એવા કાઈ માર્ગ જણાતા નથી. તનમન : આ એક નીતિ નક્કી કરવાનો પ્રશ્ન છે, તેને માટે મંત્રણા કરવી જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે વળાં મિઘતે મન્ત્રઃ “ આપણે અંદર એકાન્તમાં ચાલો. થી વાત થઈ શકે. અનન્ત : ( તનમન૦ સાથે ઊઠીને જતાં જતાં કટાક્ષમાં) લલિતા ! તનમનશંકરભાઈની સાથે મંત્રણા કરવા હું એરડામાં જાઉં છું. તું બહાર બેસી રહેજે, એટલી વાર. લલિતા : ભાઈ, જાળવજો હાં. ઉશ્કેરાઈ તે કશી વાત ન કરશેા. અનન્ત: ફિકર નહિ. અન્ને એરડામાં જાય છે, ઘેાડી ગુસપુસ વાત કરે છે. ત્યાં ધર્ડ દઈને માર્યાનો અવાજ થાય છે. તનમન૦ એરડામાંથી દોડતા આવી ખડકી ઉઘાડી નાસે છે. પાછળ અનન્ત દોડતા આવે છે. અનન્તઃ હત્! કમબખ્ત લુચ્ચા ! ખાયલા ! અનન્ત પાછળ જવાનું કરે છે તેને લલિતા પકડી રાખે છે, ને ખડકી બંધ કરી આવે છે. બન્ને બેસે છે. ઘેાડીવાર પછી– લલિતા : ( ધીમા પકાને આવજે ) મેં ના પાડી'તી તેય ન રહેવાયું ?

  • મન્ત્રણા છ કાને નચ તેા ફૂટી જાય.

22