આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૦૨ દ્વિરેફની વાતા માણસા વાત કરતા હતા. તેમાંને એક તે—આ બંગલાની સામે કાઈ નિલનીબહેન રહે છે? શાન્તા ઃ હા હિરભાઈ : તેમના પિત. તેમણે તને ગુસ્સામાં જતી જોઈ તેની વાત તેઓ પોતાના એક મિત્રને ખાતાખાતા કરતા હતા. દીપક : કાણુ જાણે જગત આ મારી ભૂલ માટે તમને શુંય કહેશે ? શાન્તા ઃ અરે એમની તે। વાત જ જવા દે ને! એ તે એવા ભડભડયા છે! પણ નલિનીબહેન બહુ જ ડાહ્યાં છે. મારાં બહેનપણી છે. એ એક વાત કહેશે એટલે ગરીબ. ગાય જેવા થઈ જવાના ! હરિભાઈ : અરે આમ તો બહુ જબરા દેખાય છે ને ! શાન્તા : તેાય એ તે ! હું આવી જબરી દેખાઉં છું તે ય તમારી પાસે કેવી ગરીબ થઈ જાઉં છું. એમ કાઈના ઘરમાં એમ હાય, ને કાઈના ઘરમાં આમ! એમ કહીને સ્ત્રી જ જે વ્યંજના જાણે છે તે વ્યંજનાથી શાન્તાએ હરિભાઈની માફી માગી લીધી. એમાં મારી માગવા જેવું કશું નથી એમ બતાવવા હિરભાઈ : બધું તારું ધાર્યું કરે છે, તે વળી મને લેતી પડે છે ! શાન્તા ઃ મારે તે કશું મારું ધાર્યું છે કે નહિ એ જ મને સમજાતું નથી. પણ એ વાત જવા દે. મને કહેા તે ખરા એ નલિનીબહેનના વરે શું કહ્યું ? હરિભાઈ : સાચું કહું ? શાન્તા ત્યારે સાચું નહિ ત્યારે જૂહુ ? હિરભાઈ : કાઈ કાઈ માણસ ગમે તેટલું સાચું ખેલે તા ય 81