આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દરેક ગામડામાં એક મોટી જરૂર પ્રમાણિકપણથી ચાલતી એક એવી દુકાનની છે કે જ્યાં મૂળ કિમત અને માફકસરનું કમિશન ચડાવીને ભેગ વિનાની ખોરાકની અને બીજી ચીજો મળી શકે. કોઈ પણ દુકાન ગમે એટલી નાની હોય તોયે તેને મોટે કઈંક મૂડીની જરૂર તો પડે જ છે એ વાત સાચી. પણ જે ગ્રામસેવક તેના કાર્યક્ષેત્રમાં જરા પણ જાણીતો થયો હોય તેણે પોતાની પ્રમાણિકતા વિષે લોકોનો એટલો વિશ્વાસ તો સંપાદન કર્યો જ હોવો જોઈએ કે થોડો થોડો જથાબંધ માલ તેને ઉધાર મળી શકે.

આ કામ વિશેની સૂચનાઓને હું બહુ વધારે નહિ લંબાવું. અવલોકન કરવાની ટેવવાળો સેવક હંમેશાં અગત્યની શોધખોળ કર્યા કરશે, અને થોડા જ વખતમાં જાણી લેશે કે આજીવિકા મેળવવા માટે પોતાનાથી થઇ શકે એવી કઈ મજૂરી છે જે સાથે સાથે જ્ ગ્રામવાસીઓની તેને સેવા કરવાની છે તેમને પદાર્થપાઠરૂપ પણ થઈ પડે. તેથી તેણે એવી જાતની મજૂરી પસંદ કરવી પડશે જેનાથી ગામડાંના લોકોનું શોષણ ન થાય, તેમનાં આરોગ્ય કે નીતિ બગડે નહિ, પણ જેનાથી ગ્રામવાસીઓને એવું શિક્ષણ મળે કે તેઓ ફુરસદના વખતનો