અને નાગરિકો ઉપર નહીં લદાતા હોય એવા કરોમાંથી મુક્તિ મેળવી આપી.
હૉફમેયર, ૩૨ સભ્યોના આફ્રિકન્ડર પક્ષના નેતા તરીકે સંસદમાં ચૂંટાઈ આવ્યા;
નાતાલની વિધાનપરિષદે, સંસ્થાનની એશિયાઈ વસ્તીને અસરકારક નિયંત્રણમાં
લાવવાને માટે સૌથી સારો પ્રબંધ કરવા માટે એક કમિશન નીમવાનું નક્કી કર્યું. | |
૧૮૮૫ | એશિયાઈઓને લોકેશનોમાં અલગ રાખવાની યુરોપિયનોની માગણી ધ્યાનમાં લઈને,
ટ્રાન્સવાલમાં એશિયાઈ હકોને નિયંત્રિત કરતો ૧૮૮૫નો ત્રીજો કાનૂન સમ્રાજ્ઞી
સરકારની સંમતિથી બનાવવામાં આવ્યો. જસ્ટીસ રૅંગની અધ્યક્ષતામાં નાતાલ સરકારે
હિંદી વસાહતી કમિશનની નિમણૂક કરી, કમિશનની તપાસને પરિણામે એવું બહાર
આવ્યું કે સંસ્થાનમાંના મોટા ભાગના યુરોપિયનોનો અભિપ્રાય એ વાતની વિરુદ્ધ હતો
કે “સ્વતંત્ર હિંદીઓ ખેતીના અથવા વેપારના ધંધામાં હરીફ અથવા સમોવડિયા
તરીકે મોજૂદ રહે.” |
૧૮૮૬ | બિયુઆનાલૅન્ડનો થોડો ભાગ કેપ સંસ્થાન સાથે જોડી દેવામાં આવ્યો.
ટ્રાન્સવાલમાં સોનાની ખાણો મળી આવી. |
૧૮૮૭ | ૧૮૮૫નો ત્રીજો કાનૂન સુધારવામાં આવ્યો. નાતાલ સરકારના તાબામાં મુકાયેલા ઝૂલુલૅન્ડના એક ભાગ ઉપર બ્રિટિશ સરકારનું
સાર્વભૌમત્વ જાહેર કરવામાં આવ્યું. કેપ સંસ્થાનમાં સંસદીય મતદાતા નેાંધણી કાનૂન
(પાર્લમેન્ટરી વોટર્સ રજિસ્ટ્રેશન ઍકટ) પસાર કરવામાં આવ્યો. |
૧૮૮૮ | કાફરો સાથેના વર્ગીકરણનો વિરોધ કરતી અને રસ્તાઓ ઉપર રાત્રે નવ વાગ્યા બાદ
ફરવાની બંધીનો વિરોધ કરતી ટ્રાન્સવાલ સરકારને હિંદીઓએ કરેલી અરજી નામંજૂર
કરવામાં આવી. |
પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૨૭
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮૬