આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સારું ને સત્ય દર્શાવા સત્ શબ્દ વપરાય છે;
તેમ સત શબ્દ યોજાય પ્રસંશાયોગ્ય કર્મમાં. ૨૬

યજ્ઞે, તપે તથા દાને વર્તે તેનેય સત્ કહે;
તે માટે જે થતાં કર્મો, તે બધાં પણ સત્ કહ્યાં. ૨૭

અશ્રદ્ધાથી કર્યા કર્મ, યજ્ઞ, દાન, તપો વળી;
અસત કે’વાય તે સર્વ, વ્યર્થ તે બેઉ લોકમાં. ૨૮