ખેતી, વેપાર, ગોરક્ષા—વૈશ્યકર્મ સ્વભાવથી;
સેવાભાવ ભર્યું કર્મ, --શૂદ્રોનું એ સ્વભાવથી. [૧] ૪૪
માનવી પોતપોતાનાં કર્મે મગ્ન રહી તરે;
સ્વકર્મ આચરી જેમ મેળવે સિદ્ધિ, તે સુણ. ૪૫
જેથી પ્રવર્તતાં ભૂતો, જેણે વિસ્તાર્યું આ બધું;
તેને સ્વકર્મથી પૂજી સિદ્ધિને મેળવે નર. ૪૬
રૂડો સ્વધર્મ ઊણોયે સુસેવ્યા પરધર્મથી;
સ્વભાવે જે ઠરે કર્મ, તે કર્યે દોષ ના થતો. ૪૭
સહજ કર્મમાં દોષ હોય તોયે ન છોડવું;
સર્વ કર્મે રહે દોષ, ધુમાડો જેમ અગ્નિમાં. ૪૮
આસક્ત નહીં જે ક્યાંય, જિતાત્મા, નિ:સ્પૃહી સદા,
પરં નિષ્કર્મની સિદ્ધિ તેને સંન્યાસથી મળે. [૨] ૪૯
પામીને સિદ્ધિને યોગી, જે રીતે બ્રહ્મ મેળવે,
સુણ સંક્ષેપમાં તેને, --નિષ્ઠા જે જ્ઞાનની પરં. ૫૦
પવિત્ર બુદ્ધિને રાખે, નીમે ધૃતિથી મન,
શબ્દાદિ વિષ્યો ત્યાગે, રાગદ્વેષ બધા હણે; ૫૧
એકાંતે રહે જમે થોડું, ધ્યાનયોગ સદા કરે,
જીતે કાયા—મનો—વાણી, દૃઢ વૈરાગ્યને ધરે; ૫૨
પૃષ્ઠ:Geeta Dhwani.pdf/૧૦૭
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે