આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અધ્યાય ૧
અર્જુનનો ખેદ
ધૃતરાષ્ટ્ર બોલ્યા--
ધર્મભૂમિ કુરુક્ષેત્રે યુદ્ધાર્થે એકઠા થઈ,
મારા ને પાંડુના પુત્રો વર્ત્યા શી રીત, સંજય? ॥૧॥
સંજય બોલ્યા--
દેખી પાંડવની સેના ઊભેલી વ્યૂહને રચી,
દ્રોણાચાર્ય કને પોં’ચી રાજા દુર્યોધને કહ્યું ॥૨॥
દુર્યોધન બોલ્યા--
જુઓ, આચાર્ય ! આ મોટી સેનાઓ પાંડવો તણી,
જે તમ બુદ્ધિમાન્ શિષ્ય દ્રૌપદે વ્યૂહમાં રચી. ॥૩॥
અહીં શૂરા ધનુર્ધારી ભીમ-અર્જુન શા રણે;
યુયુધાન, વિરાટેય, દ્રુપદેય મહારથી; ॥૪॥
કાશી ને શિબિના શૂરા નરેન્દ્રો, ધૃષ્ટકેતુયે,
ચેકિતાન તથા રાજા પુરુજિત કુંતિભોજનો[૧]॥૫॥
- ↑ (કુંતિભોજ એ કુળનું નામ છે, અને ભૂરિશ્રવા એ રાજાનું નામ છે.);