આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


કામ ને ક્રોધથી મુક્ત, યતિ જે, આત્મનિગ્રહી,
રહે તે આત્મજ્ઞાનીને બ્રહ્મનિર્વાણ પાસમાં. ૨૬

વિષયોને કર્યા દૂર, દૃષ્ટિ ભ્રૂ-મધ્યમાં ધરી,
નાકથી આવતાજાતા પ્રાણાપાન કર્યા સમ, ૨૭

વશેન્દ્રિય મનોબુદ્ધિ મુનિ મોક્ષપરાયણ,
ટાળ્યાં ઇચ્છા—ભય—ક્રોધ, તે મુનિ મુક્ત તો સદા. ૨૮

મ’ને સૌ ભૂતનો મિત્ર, સર્વ—લોક—મહેશ્વર,
યજ્ઞ ને તપનો ભોક્તા જાણી તે શાંતિ પામતો. ૨૯