આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અધ્યાય ૭મો
જ્ઞાનવિજ્ઞાન


શ્રી ભગવાન બોલ્યા—
આસક્ત મુજમાં, મારા આશ્રયે યોગ યોજતો,
જેમ સમગ્ર નિ:શંક મને જાણીશ, તે સુણ. ૧

વિજ્ઞાન સાથ આ જ્ઞાન સંપૂર્ણ કહું છું તને,
જે જાણ્યાથી પછી બીજું જગે ના જાણવું રહે. ૨

હજારો માનવે કોક સિદ્ધિનો યત્ન આદરે;
ને સિદ્ધ યતિઓમાંયે કો’જ તત્ત્વે લહે મ’ને. ૩

ભૂ, જળ, અગ્નિ, વા, વ્યોમ, મન, બુદ્ધિ, અહંકૃતિ-
આ આઠ રૂપના ભેદે મારી પ્રકૃતિ છે રહી. ૪

આ આઠ રૂપના ભેદે મારી પ્રકૃતિ તે થકી;
જીવરૂપ થઈ જેણે, જાણ, આ જગને ધર્યું. ૫

આ બેથી સઘળાં ભૂતો ઊપજે એમ જાણજે;
આખા જગતનો, પાર્થ, હું જ ઉત્પત્તિ ને લય; ૬

બીજું કોઈ નથી તત્ત્વ મારાથી પર જે ગણો;
હું-માં આ સૌ પરોવાયું—દોરામાં મણકા સમું. ૭