આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અધ્યાય ૯ મો
જ્ઞાનનો સાર
શ્રી ભગવાન બોલ્યા—
તને નિષ્પાપને મારું સારમાં સાર આ
કહું વિજ્ઞાનની સાથે, જે જાણ્યે દોષથી છૂટે. ૧
શ્રેષ્ઠ વિદ્યા, પરંસાર, આ છે પવિત્ર ઉત્તમ;
અનુભવાય પ્રત્યક્ષ, સુકર, શર્મ્ય, અક્ષય. ૨
જેમનુષ્યો અશ્રદ્ધાથી માને આ ધર્મને નહીં;
તે ફરે મૃત્યુસંસારે,મ’ને તે પામતા નહીં. ૩
અવ્યક્ત રૂપ હું—થી જ ફેલાયું સર્વ આ જગત;
હું—માં રહ્યાં બધાં ભૂતો, હું તે માંહી રહ્યો નથી. ૪
નથીયે કો હું—માં ભૂતો, જો મારો યોગ ઈશ્વરી;
ભૂતાધાર, ન ભૂતોમાં, ભૂત--સર્જક –રૂપ હું.[૧] ૫
સર્વગામી મહા વાયુ નિત્ય આકાશમાં રહે;
તેમ સૌ ભૂત મા’રામાં રહ્યાં છે, એમ જાણજે. ૬
કલ્પના અંતમાં ભૂતો મારી પ્રકૃતિમાં ભળે;
આરંભ કલ્પનો થાતાં સર્જુ તે સર્વને ફરી. ૭
- ↑ [ભૂતોનું સર્જન કરવું એ જેનું સ્વરૂપ(સ્વભાવ) છે.]