નિજ પ્રકૃતિ આધારે સર્જું છું હું ફરી ફરી;
સર્વ આ ભૂતનો સંઘ બળે પ્રકૃતિને વશ. ૮
પણ તે કોઈયે કર્મ મુજને બાંધતાં નથી;
કાં જે રહ્યો ઉદાસી[૧] શો કર્મે આસક્તિહીન હું. ૯
પ્રકૃતિ પ્રસવે સૃષ્ટિ મારી અધ્યક્ષતા[૨] વડે;
તેના કારણથી થાય જગનાં પરિવર્તનો. ૧૦
અવજાણે મ’ને મૂઢો માનવી દેહને વિશે;
ન જાણતા પરંભાવ મારો ભૂત મહેશ્વરી. ૧૧
વૃથા આશા, વૃથા કર્મો, વૃથા જ્ઞાન કુબુદ્ધિનાં;
રાક્ષસી—આસુરી જેઓ સેવે પ્રકૃતિ મોહિની. ૧૨
મહાત્માઓ મ’ને જાણી ભૂતોનો આદિ અવ્યય;
અનન્ય મનથી સેવે દૈવી પ્રકૃતિ આશર્યા. ૧૩
કીર્તિ મારી સદા ગાતા, યત્નવાન, વ્ર્તે દૃઢ,
ભક્તિથી મુજને વંદી ઉપાસે નિત્ય યોગથી.
[૩] ૧૪
જ્ઞાનયજ્ઞેય કો ભક્તો સર્વવ્યાપી મ’ને ભજે;
એકભાવે, પૃથગ્ભાવે, બહુ રીતે ઉપાસતા. ૧૫
હું છું ક્રતુ, હું છું યજ્ઞ, હું સ્વધા, હું વનસ્પતિ;
મંત્ર હું, ધૃતહું શુદ્ધ, અગ્નિ હું, હું જ આહુતિ; ૧૬
હું જ આ જગનો ધાતા, પિતા, માતા, પિતામહ;
જ્ઞેય, પવિત્ર ૐકાર, ઋગ્, યજુર્, સામવેદ હું. ૧૭
પૃષ્ઠ:Geeta Dhwani.pdf/૬૨
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે