આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અધ્યાય: ૧૦ મો
વિભૂતિવર્ણન


શ્રીભગવાન બોલ્યા--
ફરી સાંભળ આ મારું પરમ વેણ, અર્જુન,
જે કહું પ્રેમથી તારા હિતની કામના કરી. ૧

મારા ઉદ્ ભવને જાણે ન દેવો કે મહર્ષિઓ,
કેમ જે હું જ છું આદિ સૌ દેવો ને મહર્ષિનો. ૨

જે જાણે હું અજન્મા છું ને અનાદિ, મહેશ્વર;
મોહહીન થયેલો તે છૂટે છે સર્વ પાપથી. ૩

બુદ્ધિ, જ્ઞાન, ક્ષમા, સત્ય, અમોહ, શાંતિ, નિગ્રહ,
 જન્મ-મૃત્યુ, સુખો-દુ:ખો, ભય-નિર્ભયતા તથા ૪
અહિંસા,સમતા, તુષ્ટિ, તપ, દાન, યશાયશ,--
હુંથી જ ઊપજે ભાવો સૌ ભૂતોના જુદા જુદા. ૫

પૂર્વે મહર્ષિઓ સાત, ચાર જે મનુઓ થયા--
જેમની આ પ્રજા લોકે-જન્મ્યા સંકલ્પથી મુજ. ૬