આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સમ માનાપમાને જે, સમ જે શત્રુમિત્રમાં;
સૌ કર્મારંભ છોડેલો, ગુણાતીત ગણાય તે. ૨૫

અવ્યભિચાર ભાવે જે ભક્તિયોગે મ’ને ભજે;
તે આ ગુણો કરી પાર, બ્રહ્મને પાત્ર થાય છે. ૨૬

અમૃત—અક્ષર—બ્રહ્મ, ને એકાંતિક જે સુખ;
તેમ શાશ્વત ધર્મો જે, સૌનો આધાર હું જ છું. ૨૭