આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આભાસ.

તથા તેઓમાં દેહાભિમાન તથા જાતિ અભિમાન કેટલું બધું હતું; તે છતાં પણ તેની નીતિ કેટલી અશુદ્ધ ને સાધારણ હતી, ને તેઓ કેવા વિષયી અને અજ્ઞાની હતા, તે સઘળાનો ખ્યાલ સહેજ થશે.”

આ ગ્રંથ તૈયાર કરવામાં મારા નાનપણના મિત્ર અને સર જમશેદજી જીજીભાઈ બેરોનેટની છોકરીઓની નિશાળના સુપરીન્ટેન્ડટ મી૦ ચીમનલાલ નંદલાલ તથા વેદશાસ્ત્ર સંપન્ન રાજેશ્રી કેશવ શાસ્ત્રી જોગ તથા કવિ હરિદાસ હીરાચંદ એઓએ જે મદદ કીધી છે, તેથી હું તેમનો ઘણે આભારી થયો છું.

મુંબઈ તા૦ ૨૮ મી જુન સને ૧૮૬૫.

શાકેરરામ દલપતરામ.