આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.










ગ્રામસેવા


હિંદનું ગામડું બહુ જ મહત્ત્વનું, જરૂરનું અને ઉપયોગી છે; નર્મદાશંકરેગામડું કહ્યું છે કે ગામડાંને શહેરો ખાઈ જાય છે, તે કથન સત્ય જ છે. ગામડાં કેન્દ્રસ્થાનો છે કારણ કે ૮૦ ટકા લોકો ગામડાંમાં વસે છે અને કુલ ૯૫ ટકા લોકો ગામડાં સાથે સંબંધ ધરાવતા હોય છે. હિંદુસ્તાનમાં બધાં મળીને સાત લાખ ગામડાં છે, અને તેની અંદર ૩૦ કરોડ માણસો વસે છે. આ રીતે હિંદની વસ્તીનો મોટો ભાગ ગામડાંમાં વસે છે, અને નહિ વસતો ભાગ ગામડાં સાથે સંબંધ ધરાવે છે.