આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખોરાક, બાળઉછેર અને કેળવણી : ૨૧૩
 


પ્રયોગ એ ગ્રામોન્નતિના અંધકારમાં ચમકતા દીપકરૂપ છે. પરંતુ એમના સર્વ પ્રયોગોને રાજકીય મર્યાદા સહન કરવાની રહી. ગાંધીજીની વિદ્યુતશકિત ગામડાંને–ગ્રામજનતાને સુષુપ્તિમાંથી જાગ્રત કરી રહી છે. અને હવે સહુને એટલું તો સ્પષ્ટ જ થયું છે કે ગ્રામપુનર્ઘટનાનો કોઈ પણ પ્રશ્ન કેળવણી વગર સફળતાથી ઉકલે જ નહિ.

ગ્રામકેળવણી

આખા હિંદને અંગ્રેજી ભણતરની જરૂર નથી. ભણતરની ચાલુ પ્રથા ગ્રામજનતાને જરા ય અનુકૂળ નથી. ચાલુ પ્રથા અતિ ખર્ચાળ. એમાં કશું ધ્યેય નહિ. ધ્યેય હોય તો ય કારકૂનો ઉપજાવવાનું. ગ્રામજનતાને કારકૂનો ઉપજાવવા નથી. ગ્રામજનતાને મોટે ભાગે પ્રફુલ્લ આરોગ્યભર્યા સંસ્કારી કૃષિકારો જોઈએ. એટલે ગ્રામકેળવણીનો પ્રશ્ન જુદી જ ઢબે ઉકેલી શકાય.

સામાન્ય જ્ઞાન

ગ્રામજનતાને અક્ષરજ્ઞાન જોઈએ. સામાન્ય વાચન પણ જોઇએ. વર્તમાનપત્રો ગામડે ગામડે ફેલાવા માંડ્યાં છે, અને ગ્રામજનતા પશ્ચિમ પૂર્વની ઝડપને માનસિક રીતે પણ ઓળખે એમ થવાની જરૂર છે. એટલે સામાન્ય

લેખન વાચન, ભૂગોળનો સહજ ખ્યાલ, હિંદનો અને જગતનો સામાન્ય ઇતિહાસ તથા ગણિત એટલું આવડે તો ઘણું.

યોજના

આજની કેળવણી માત્ર માનસિક ધુમસને વળગી રહી છે. એ સ્થિતિ બદલી નાખવી જોઈએ. વર્ધા શિક્ષણ યોજનાએ આખા હિંદનું ધ્યાન અત્યારે તો ખેંચ્યું છે, અને મહાત્મા ગાંધીની સર્વસ્પર્શી અસરનું એ એક ભવ્ય ઉદાહરણ છે. કેળવણી કોઇપણ ઉદ્યોગની આસપાસ ગુંથવી જોઇએ, કેળવણી લેનાર ઉત્પાદન કાર્ય માટે અશક્ત અને નિરુપયોગી ન બની રહે એવી ઢબે કારીગરી અને માનસશિક્ષણનું મિશ્રણ થવું જોઈએ, અને કેળવણી સ્વાવલંબી બની શકે એટલી સોંધી અને