આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રામજીવન અને વ્યાયામ : ૨૧૯
 


ખડી થાય છે. સદ્‌ગત શ્રીમંત સયાજીરાવની સર્વતોભદ્ર પ્રજાવિકાસની યોજનામાં વ્યાયામને ઉચ્ચ સ્થાન હતું. તેઓ જાતે કસરતી હતા એટલે સમસ્ત પ્રજામાં વ્યાયામનો પ્રચાર થાય એવી યોજનાઓ તેમણે ઘડી હતી. પ્રજાને ફરજીયાત લશ્કરી તાલીમ આપી પ્રજાની શારીરિક દૃઢતા વિકસાવવાનું તેમનું સ્વપ્ન ફળીભૂત થાય એવા સંજોગો તેમને પ્રાપ્ત ન થયા એ ખરું. છતાં શારીરિક કેળવણીને ફરજિયાત બનાવવાની તેમની પ્રવૃત્તિઓ માર્ગદર્શક છે. શ્રીમંત મહારાજા પ્રતાપસિંહ તો વ્યાયામમાં અપૂર્વ અંગત રસ લેતા રાજવી છે. રાજ્ય બહારનું તેમનું પ્રથમ મહત્ત્વનું કાર્ય અખિલ મહારાષ્ટ્ર શારીરિક શિક્ષણ પરિષદને પ્રમુખપદે વિરાજી તેની દોરવણી કરવાનું હતું. એ બહુ જ સૂચક પ્રસંગ છે. હિંદવાસીનો દેહ પશ્ચિમનિવાસીની સરખામણીમાં કેમ કરીને ઉત્કૃષ્ટ નીવડે એ પ્રશ્નની આખી વિચારણામાં તેમણે પોતાનું માનસ વાળ્યું છે. આપણે ગુજરાતીઓએ દેહને પૂરતું મહત્ત્વ આપ્યું નથી. પ્રજા તરીકે આપણી એ ભારેમાં ભારે ખામી છે. એ ખામી દૂર કરવાના રાજપ્રયત્નો સાથે પ્રજા પ્રયત્નો સંયુક્ત થાય તો ગુર્જર પ્રજા શારીરિક લઘુતાના મહેણાથી જોતજોતામાં મુક્ત થઈ શકશે.

અમદાવાદ, સૂરત, કાઠિયાવાડ, ભરૂચ એ બધાં શહેર વ્યાયામની ઓછી વધતી કીંમત કરતાં થયાં છે, અને કચ્છ તથા ગામડાં પણ વ્યાયામને અમુક અંશે ઓળખતાં થયાં છે.

દક્ષિણની વ્યાયામ-
પ્રિયતા

ગુજરાત અને મહારાષ્ટ્રનો પડોશ અને નિકટ સંબંધ અહીં આપણને બહુ ઉપયોગી થઈ પડે એમ છે. મહારાષ્ટ્ર પાસેથી ગુજરાત ઘણુંઘણું શીખી શકે એમ છે. તેમાં સહુથી પ્રથમ શિક્ષણ તો વ્યાયામની બાબતમાં લેવાનું છે. સામાન્યતઃ પ્રત્યેક મહારાષ્ટ્રી