આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.









૨૮
ગ્રામોન્નતિના માર્ગ.
સહુનો ખ૫

ગ્રામોન્નતિનું આ સ્વરૂપ. એમાં અનેક પ્રકારની વિશિષ્ટતા અને વિવિધતા. એમાં સહુનો ખપ. કૃષિકાર, ઇજનેર, ડૉક્ટર, શિક્ષક, ફિલસૂફ, કવિ, પરિચારક, કારીગર, મજૂર, પ્રચારક, અર્થશાસ્ત્રી અને ઉત્સાહી સેવક સહુ ગ્રામોન્નતિના કાર્યમાં સમાઈ શકે એમ છે.

ગ્રામોન્નતિની ઇચ્છા પણ કેળવાયલા વર્ગમાં પ્રબળ થવા લાગી છે. અમલદાર, શાહુકાર, જમીનદાર, ધારાશાસ્ત્રી, રાજનીતિજ્ઞ, શિક્ષક, વિદ્યાર્થી સહુ ગ્રામોન્નતિને સમજવા લાગ્યા છે, અને બની શકે તે કરવાની આતુરતા પણ દર્શાવવા લાગ્યા છે. છતાં સહુને એક પ્રશ્ન થાય છે : ગ્રામોન્નતિ કરવી શી રીતે ? એની શરૂઆત કેમ થાય ?

નોકરશાહી

ગામડાંમાં રહેતા અગર ગામડાંમાં જવરઅવર કરતા અમલદારો અને સરકારી નોકરો ધારે તો પોતાની અમલદારી પ્રતિષ્ઠાદ્વારા ઘણું કરી શકે એમ છે. માત્ર તેમનામાં એક બે મહાગુણ ખીલવા જોઇએઃ નાના મોટા સ્વાર્થનો તદ્દન અભાવ અને ગ્રામજનતા પ્રત્યે માયાભર્યું વર્તન. ગ્રામજનતાનાં સુખદુઃખ સાંભળી તેમનાં દુઃખ ટાળવાના