આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૨ : ગ્રા મો ન્ન તિ
 


આ અંદાજ પછી તે આર્થિક મંદીનાં એવાં વર્ષો આવવા માંડ્યાં છે કે એ દેવાના અંદાજની ડુંગર ૯૦૦ કરોડ જેટલી રકમ કરતાં કૈંક વધી ગયો છે. એનો આંકડો નક્કી કરવાની કડાકૂટ જ નિરર્થક બની જાય છે. દેવું ૯૦૦ કરોડથી બમણું થઈ ગયાનું આંકડાશાસ્ત્રીઓ બ્હીતે બ્હીતે જણાવે છે. કૃષિની પેદાશના ભાવ બેસી ગયા, અને વધારે ભાવ વખતે કરેલાં દેવાનો નિકાલ કરવાની જવાબદારી ગ્રામ જનતાને માથે ઊભી રહી છે.

બીજી બધી બાબતો બાજુએ મૂકીએ તો પણ આ એક ભયાનક ઓથાર નીચે દબાયલી ગ્રામજનતામાં ગ્રામોન્નતિ માટે અભિલાષા જાગે એટલો ભાર તો જરૂર હળવો કરે પડશે. શ્વાસ ન લેવાય એટલા બોજા નીચે કચરાયલી ગ્રામજનતા મૃતપ્રાય બને તો ગ્રામજીવન જ ભાંગી પડશે, અલોપ થઈ જશે, અને સહુના ખજાના ખૂટી સહુ ભૂખે મરશે. ગ્રામજીવન મરતાં આખું હિંદ મર્યું સમજવું. ગ્રામોન્નતિનો સઘળા આધાર ગ્રામજનતાના આત્મા ઉપર, એ આત્માની જાગૃતિ ઉપર, એ જાગૃતિની ગ્રાહકશક્તિ ઉપર રહેલો છે. એ આત્મા જીવતો રહે, જાગૃત રહે, અસર ઝીલે એટલે પ્રફુલ્લ રહે તો જ ગ્રામોન્નતિ શક્ય છે. ભાડુતી માણસો રાખી અનાજ અને અન્ય સમૃદ્ધિ ઉપજાવવાનો સમય આવી પહોંચે તે પહેલાં કૃષિની આસપાસ વિકસી નીકળેલી ગ્રામસંસ્કૃતિને જીવંત રાખવામાં સહુનો સ્વાર્થ છે.

ગ્રામજનતાનો સ્વાશ્રય

અંતે તો ગ્રામોદ્ધાર એ ગ્રામજનતાના સ્વાશ્રય ઉપર આધાર રાખે છે. બહારથી કોઈ આવી ગ્રામોદ્ધાર કરી જાય એ કદી બનવાનું નથી, અને રશિયાની માફક રાજસત્તા જ ગ્રામજીવનનો ચહેરો બદલી નાખે એ આજના હિંદ માટે બહુ શક્ય નથી. જે કાંઈ થઈ શકે તે એટલું જ કે