આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રામોન્નતિના માર્ગ : ૨૮૫
 


ગ્રામજનતાની મુશ્કેલીઓ સહાનુભૂતિથી સમજી લઈએ. ગ્રામજનતા સમજવાળી, સ્કૂર્તિવાળી અને સ્વાશ્રયી થાય એવા પ્રયત્નો સતત કરવા. એનું નામ ગ્રામોદ્ધારનું કાર્ય. એટલે ગ્રામોદ્ધારનો મહામંત્ર તો ગ્રામજનતામાં જ ચેતન જગાડવાનો છે, ગ્રામજનતામાં જ ઉન્નતિની ઝંખના જાગ્રત કરવાના છે. ગ્રામજનતા ઉન્નતિને, પ્રગતિને, વિકાસને ઓળખી તે ભાગે આગળ વધ્યા જ કરે એવાં સાધનો ગ્રામજનતા પાસે મૂકવાનો, એવાં સાધનો ગ્રામજનતા મેળવે એ જોવાનો પ્રયત્ન એ આજની ગ્રામોન્નતિનું મહાકાર્ય. ગ્રામોન્નતિ ખરી રીતે ગ્રામજનતાની અભિલાષામાં જ રહેલી છે. એ અભિલાષા જાગ્રત કરવાનું, એ અભિલાષા પોષવાના માર્ગદર્શનનું કામમાત્ર ગ્રામોન્નતિમાં રસ લેનારે કરવાનું છે. એ કામ કાંઈ સહેલું નથી.

કેન્દ્ર સ્થાપના

ગ્રામોન્નતિની અભિલાષા ગ્રામજનતામાં જાગૃત કરવા માટે પ્રથમ તો એક ગામ અગર ગ્રામસમૂહની પસંદગી કરી ત્યાં કેન્દ્ર સ્થાપન કરી સ્થાપના કરનાર વ્યક્તિ કે સંસ્થાની આવડત, ચારિત્ર્ય અને સંસ્કારનાં દૃષ્ટાંત અને પદાર્થ પાઠ દ્વારા બનતી પ્રવૃત્તિઓનો વિકાસ કરી શકાય. એક કેન્દ્રની સ્થાપના પ્રયોગ તરીકે સફળ નીવડે તો એ પ્રયોગ આપોઆપ અગર સહજ મહેનતથી આગળ વધારી શકાય.

એ કેન્દ્રમાં કેળવણીના પ્રયોગ થાય, દવા અને ઉપચાર પણ થાય, તથા ખેતીના કે ગૃહઉદ્યોગના અખતરાઓ પણ થઈ શકે. સગવડ પ્રમાણે અમુક તત્ત્વ ઉપર પ્રથમ ભાર મૂકી બીજાં તો દાખલ કરી શકાય. એટલે ગ્રામોન્નતિના પ્રયોગ શાળા, દવાખાનાં, કૃષિક્ષેત્રો અને ઉદ્યોગમંદિરની આસપાસ થઈ શકે.

આવાં કેન્દ્ર સરકાર પણ સ્થાપી શકે અને ખાનગી વ્યક્તિઓ પણ સ્થાપી શકે. આ યોજના સહજ ખર્ચ માગે-જે સેવાભાવી