આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨
ગ્રહાષ્ટક વત્તા એક
 

૨સાતાળ ગઈ.’

શ્રીભવનની બ્રહ્મપુરીમાં ખળભળાટ મચી ગયો હતો. બધા જ બ્રહ્મપુત્રો ઊકળી ઊઠ્યા હતા. રાતના અંધારામાં આંધળે બહેરું કુટાઈ ગયું હોવા છતાં પોતે ભૂલથી ભળતા જ માણસોને પરહેજ કરનાર ઇન્સ્પેક્ટર ગોગટે હવે પોતાની ભૂલ સુધારવાની ઘસીને ના પાડતા હતા. એમની નજર પોતાના ભાવિ પ્રમોશન ઉપર હતી. એમને પ્રકાશશેઠ અને પ્રમોદકુમાર જેવા બે ધરખમ ગુનેગારોને જેર કર્યાનો જશ ખાટવો હતો. હવે એ ગુનેગારો ખોટા પકડાયા છે, એવું જાહેર થાય તે પોતાની બઢતીમાં અંતરાય આવે એટલું જ નહિ, આવી ગંભીર ગફલતને કારણે કદાચ હોદ્દામાં બઢતીને બદલે એકાદ પાયરી પતન પણ આવી પડે એવો ભય હતો. તેથી જ એમણે પેલા ખીમચંદની વરરાજાહઠ જેવી જ પોલીસહઠ લીધી હતી. ‘મેં પકડેલા આરોપીઓને હું નહિ જ છોડું.’

‘અરે, પણ જ્યોતિષમાર્તંડ શ્રીમદ્‌ જટાશંકરાચાર્યજીની હાજરી વિના આપણા સહસ્ત્રચંડીયજ્ઞમાં વિઘ્ન આવશે એનું શું ?’ ગિરજો ફરિયાદ કરતો હતો.

‘અરે, યજ્ઞયાગના ક્રિયાકાંડમાં ક્યાંક ક્ષતિ આવશે તો ચંડીમાતા પોતે જ કોપશે, ને પેલા ઇન્સ્પેક્ટરને પાપે આપણું પણ ધનોતપનોત નીકળી જશે.’

‘શાન્તં પાપં… શાન્તં પાપં…’

બ્રહ્મપુરીમાં અહિંસક બળવા જેવું વાતાવરણ જામી ગયું. એક જુવાન બ્રહ્મપુત્રે દલીલ કરી :

‘આ બધી જવાબદારી, આપણા યજમાન તરીકે સર ભગનની જ ગણાય. એમણે પોતે જામીન બનીને આપણા આચાર્યોને છોડાવવા જોઈએ.’

‘નહિ. સર ભગને તો એકથી લાખ રૂપિયા સુધીના જામીન આપવાની ઑફર કરી જોઈ. પણ, જે વૉરન્ટ તળે આ ધરપકડો