આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દીકરીએ દીવો રહેશે ?
૧૮૫
 


તો અધ્ધર ને અધ્ધર રહી જાય એવા મામલો છે, આમાં તમે મારગ કરશો કેમ કરીને?’

પતિ–પત્ની આમ વાર્તા કરતાં હતાં એવામાં વધારે ચીચિયો ઊઠ્યો. ધક્કામુક્કી જોડે કશીક મારપીટ થતી હોય એમ લાગ્યું. સામટી ભયસૂચક ચીસો ઉપરથી લાગતું હતું કે લોકો ઉપર કશુંક વીતી રહ્યુ છે. સામૂહિક લાઠીમાર થતો હોય એવો એ અનુભવ હતો.

સર ભગનની બુદ્ધિ બહેર મારી ગઈ. આમેય અંધારામાં એમને કશું સુઝતું નહોતું. પણ પોતાને આંગણે આકસ્મિક જ સરજાઈ રહેલા આ મૃત્યુકાંડથી તો તેઓ માનસિક રીતે પણ દિશાશૂન્ય બની ગયા.

‘અરે, કોઈ રીતે અજવાળું તો કરો!’ સર ભગન આર્દ્ર અવાજે પોકારી રહ્યા.

યજ્ઞવેદીની જ્ળાઓ પણ નવું ‘ઓમ્ સ્વાહા’ બંધ થયા પછી ઓસરી ગઈ હતી. લેડી જકલને યાદ આવ્યું કે બળતામાં ઘી હોમીએ તા ભડકા થાય અને ભડકામાંથી પ્રકાશ પણ પેદા થાય. તેથી જ એમણે સુચવ્યું :

‘અરે, આ તે શો ગજબ! શ્રીભવનમાં સો મણ ઘીએ અંધારું ? ક્યાં ગયા પેલા ઘીના હજારો ગાડવા? માંડો હોમવા.’

સર ભગનને આ સૂચન સાંભળીને નિરાશાના તેમજ સાચા ઘોર અંધકારમાં આશાકિરણ દેખાયુ. કોણે કહ્યું કે સ્ત્રીની બુદ્ધિ પાનીએ હોય છે ? તુરત એમણે લેડી જકલના સૂચનનું સમર્થન કર્યું.

‘અરે, બ્રહ્મદેવો, ઊભા છો શું મોઢું વકાસીને ? ને પેલા ગાડવા ઊંચકીઊંચકીને ઘી અહીં રેડવા માંડો, તો જરા અજવાળું થાય.’

‘એ ગાડવા તેા ક્યારના ઊંચકાઈ ગયા છે, શેઠ !’

‘હેં ! ઊંચકાઈને ક્યાં ગયા?’

‘એના જવાને ઠેકાણે. ઘણાય લોકોની નજર એ ગાડવા ઉપર