આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેવાઈઓ અને વરઘોડિયાં
૨૧૫
 


એટલાં માણસો મરી ગયાં છે.’

‘એ, અષ્ટગ્રહનો જ ઉલ્કાપાત.’ જ્યોતિષમાર્તંડો વચ્ચે બોલી ઊઠ્યા.

‘તમે જરા મૂંગા રહેશો, જ્યોતિષચક્રચુડામણિઓ ! તમારાં પાપે જ આ આફત ઊભી થઈ છે.’ કહીને સર ભગને વખતચંદ વેવાઈને સમજાવ્યું: ‘હવે મારી આબરૂ તમારા હાથમાં છે.’

‘મારી આબરૂ ન કહો. આપણી આબરૂ બોલો. હવે તો આપણે વહાલા વેવાઈ થયા.’

‘બસ. તો હવે વેવાઈ તરીકે તમે મને જામીન પર છોડાવો.’

‘અરે, તમારે વળી જામીનની શી જરૂર ?’

‘જામીન વિના તો અહીં લોકઅપમાં જ પુરાઈ રહેવું પડે.’

‘વાતમાં શો માલ છે ? જામીન વિના જ તમને છોડાવી દઈએ. અવાજ કરો એટલી જ વાર.’

‘જામીન વિના ? કેવી રીતે ?’

‘આ દરોગાને ઠામુકો ઠાર કરી નાખીએ. એક ઝપટભેળો જ ભૂંહી નાખીએ એટલે નિરાંત.’

‘એવું તે થાય ?’

‘કેમ ન થાય ? અમે કોણ ? જલાલપર–બાદલાના રહેવાસી. સાચાં ઘી–દૂધ ખાધેલાં, હા. ઓછા ઊતરીએ તો પાંદરડીમાં પાણીફેર.’

જાનૈયાઓ આવી આત્મપ્રશસ્તિ કરતા હતા ત્યાં તો પોલીસનો બીજો એક સાર્જન્ટ આવીને બોલ્યો :

‘સર ભગન, તમને અહીં સામાન્ય લૉક–અપમાં નહિ રાખી શકાય.’

સાંભળીને સર ભગનને થયું કે આખરે રહી રહીને પણ સત્તાવાળાઓને મારા વિશિષ્ટ માનમોભાની જાણ થઈ ખરી.

પણ ત્યાં તો એ સાર્જન્ટે જ ચોખવટ કરી :

‘તમારો ગુનો વધારે ગંભીર પ્રકારનો છે. તમને અત્યારથી